પૃષ્ઠ:Van Vruksho.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુજરાતના ખાસ કરીને સુરત જિલ્લામાં ગામડે ગામડે આ તાડીની મોંકાણ છે, અને એના મોંકાણિયા તાડીનો ઈજારો રાખનારાઓ છે; અને સૌથી છેલ્લે એ મોંકાણિયાના પીરજાદાઓ તો સરકાર માબાપ છે. તેઓ તાડીનો ઈજારો આપે છે.

બિચારા થાક્યાપાક્યા મજૂર લોકો થાક ઉતારવાના ભ્રમમાં પડી તાડી પીએ છે ને ભજિયાંભૂસું ખાય છે. કમાણીનો અડધો ભાગ કલાલના ગલ્લામાં પડે છે ને જિંદગીનો અડધો ભાગ તાડીના ઘેનમાં બરબાદ થાય છે !

ઠીક થયું છે મહાત્માજીએ ખજૂરાં સામે લડત આદરી છે. જ્યારે પૃથ્વી ખજૂરાં વિનાની થઈ જશે ત્યારે તે વધારે શોભશે. જોકે અત્યારે પૃથ્વી માતા ખજૂરાંથી, મહુડાંથી ને એવાં ઝાડોથી પિડાય છે.

અને એ પીડા કરનાર તો માણસો જ છે. માણસો સારી વસ્તુનો ખરાબ ઉપયોગ કરે છે ને જગતને દુઃખ દે છે. માણસોને તો ભગવાન પણ પહોંચે તેમ નથી!