પૃષ્ઠ:Van Vruksho.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ મારાથી કાંઈ ખસાય ? હું તો વડ. કેટલાં ય ઝાડોનો દાદો ને કેટલાંયનો દાદાનો દાદો !

" જૂના ઋષિમુનિઓ મારા બાપદાદાની છાયાએ તપ તપેલા. દક્ષિણામૂર્તિ દેવ તો વડની છાયાએ જ બેસતા ને મૂંગું વ્યાખ્યાન કરી પોતાના શિષ્યોને ભણાવતા. એવા વડના કુળનો છું હું; એવી જુનવટ છે મારી; એવાં સંભારણાં છે મારાં; એવો સૌ સાથે સંબંધ છે મારો - વર્ષોથી આજ સુધીનો."