પૃષ્ઠ:Van Vruksho.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખીજડાનું બીજું નામ શમીવૃક્ષ છે. મહાભારતના પાંડવોએ વનવાસમાં જતી વખતે પોતાનાં હથિયારો ખીજડા પર સંતાડ્યાં હતાં. આજે પણ ક્ષત્રિયો દશેરાને દિવસે શમીપૂજન કરે છે; ઝાડને સિંદૂરનું ત્રિશૂળ કરે છે અને તેને પગે લાગે છે. કેટલાએક રાજાઓ સવારી કાઢી દશેરાને દિવસે શમી પૂજવા જાય છે.

વાઘરીનું માનીતું ઝાડ બાવળ, ચમારનું આવળ, બ્રાહ્મણનું પીપળો, કુંભારનું આંબલી, જોગીઓનો વડ, એમ રજપૂતનું શમીવૃક્ષ કહેવાય. એમ કહીએ તોપણ ચાલે કે પીપળો પવિત્ર ઝાડ અને ખીજડો બહાદુર ઝાડ.