લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નથી… આવાં આવાં વેણ બોલી બોલીને સહુ ચેષ્ટારી કર્યા કરે છે…’

‘કરે જ તો, પા૨કી પંચાત કોને મીઠી ન લાગે ?’ વહેવા૨કુશળ સંતોકબા કહેતાં. ‘આપણે ધીરજ ધરવી સારી. વેવાઈ પણ એના વેતામાં જ હશે ને ? ત્રેવડ થાશે કે તરત આવી પૂગશે—’

‘પણ ત્રેવડ કે’દી થાશે ?’ કપૂરશેઠ તાડૂકી ઊઠતા. ‘આમ ને આમ આપણી છોક૨ીનો અવતાર પૂરો થઈ જાશે તે દી ? વરાવેલી કન્યા આટલા દી લગણ સાકરચૂંદડી વિનાની રહી હોય એવું સાંભળ્યું છે ક્યાંય દુનિયામાં ?’

આ તબક્કે ચંપાને વચ્ચે બોલવાનું મન થઈ આવતું કે, ‘બાપુજી, શા માટે ફિકર કરો છો ? મારે દાગીના-ઘરેણાં નથી જોઈતાં… સોનું પહેર્યા વિના હું શું ભૂંડી લાગું છું… પણ વડીલો સમક્ષ આવી વાત ઉચ્ચારવાની એ ગભરુ કન્યામાં હિંમત નહોતી તેથી એ મનમાં ને મનમાં સમસમી રહેતી.

દિવસે દિવસે ચંપાની માનસિક યંત્રણા વધવા લાગી. વડીલોનું વલણ વણસતું ગયું તેમ તેમ ચંપાને ભાવિ પણ વધારે ને વધારે અનિશ્ચિત લાગવા માંડ્યું. નરોત્તમ શું વિચારતો હશે ? એને પણ મારા જેવી જ મનોવેદના થતી હશે ?… પણ એના સમાચાર તો શી રીતે મળી શકે ?…

સમાચાર ! હમણાં હમણાં ચંપા ટપાલ આવવા સમયે રોજ આતુરતાપૂર્વક ડેલીનાં બારણાં ભણી તાકી રહેતી. અલબત્ત, નરોત્તમનો પત્ર આવવાની તો આશા જ નહોતી, છતાં કોણ જાણે કેમ એનું વ્યથિત હૃદય ટપાલને સમયે હંમેશાં પત્રની પ્રતીક્ષા કરવા માંડતું.

‘કાં ? કપૂરબાપા !…’

એક દિવસ બરોબર ટપાલને સમયે જ ડેલીનાં બારણામાં બૂમ

હું તો વાત કહું સાચી
૯૩