મારું વૃંદાવન છે રૂડું

વિકિસ્રોતમાંથી
(મારું વનરાવન છે રૂડું થી અહીં વાળેલું)
મારું વૃંદાવન છે રૂડું
નરસિંહ મહેતા


મારું વૃંદાવન છે રૂડુંરે, વૈકુંઠ નહિ રે આવું
નહિ આવું નંદાજીના લાલ નહિ આવું —ટેક.
બેશીને રેવું ને ટગ ટગ જોવું, નહિ ખાવું નહિ પીવુંરે. વૈકુંઠ નહિ..
વૈમાન મોકલો તો મોકલો વેહેલું, હું આવીશ સૌના પેહેલુંરે. વૈકુંઠ નહિ.
બ્રહ્મના લોક તો છે અતિ કૂડાં, વાસી વ્રજના રૂડાંરે. વૈકુંઠ નહિ.
જે વિશે બે પોળીયા હુતાં, તેને તત્ક્ષણ મેલ્યા કહાડીરે. વૈકુંઠ નહિ.
નરસૈંયાચો સ્વામી અંતરજામી, તમે સાંભળોને સારંગપાણીરે. વૈકુંઠ નહિ.


અન્ય સંસ્કરણ

એ મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

એ નહિ આવું વાં નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું
બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

કે મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

સરગના લોક તો છે અતિ કૂડાં
સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

એ મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

એ રે વિશે બે નોળિયા હતાં જો
એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

એ મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી પાછો મરણ વિજોગ