પૃષ્ઠ:Balvartao.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈનામ આપે એ મંત્રીથી સહન થાય એમ ન હતું. એ બહુ ઈર્ષાળુ હતો.

રાજાને પણ મંત્રીની વાત સાચી લાગી. એટલે એણે પંખીને પિંજરામાંથી કાઢીને ઉડાડી મૂક્યું. પંખી દરબારમાં લટકાવેલા ઝુમ્મર પર બેઠું અને ચરક્યું. બધાએ આતુરતાથી તેની ચરક પર નજર ઠેરવી. અને બધા સ્તબ્ધ બની ગયા.

સાચે જ તે પક્ષીની ચરક સોનું બનીને ચમકી રહી હતી. રાજાએ ઉત્સુકતાથી ઊઠીને તે ચરક હાથમાં લીધી તો તે સોનાનો ગઠ્ઠો હતો.

ત્યાં જ પક્ષી બોલ્યું, 'હે રાજન ! હું આ સોનાની ચરક બતાવવાની હોંશિયારી મારવામાં આ શિકારીની જાળમાં ફસાયું, એટલે હું મૂરખ અને તેં ધીરજ ન રાખી, મંત્રીના કહેવાથી મને ઉડાડી મૂક્યું, એટલે તું પણ મૂરખ.' કહીને પક્ષી ઊડી ગયું અને જરા વારમાં તો દેખાતું બંધ થઈ ગયું.