પૃષ્ઠ:Balvartao.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પક્ષીને છોડી મૂકવા બદલ રાજાને ઘણો પસ્તાવો થયો. છતાં તેણે શિકારીને મોટું ઈનામ આપ્યું.

મંત્રી માથું ઊચું જ ન કરી શક્યો.

'હે કુમારો ! દરેક કાર્યમાં ધીરજ રાખવી. કોઈ નિર્ણય ઉતાવળે ન લેવા. નહિ તો રાજાની જેમ પક્ષી ગુમાવવાનો વારો આવે.'