પૃષ્ઠ:Balvartao.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મુનિ અને ઉંદરડી

નદીને કિનારે એક મુનિ નાનકડી ઝૂંપડી બાંધીને રહેતા હતા. આકરી તપસ્યાને કરીને અંતે તેમણે અનેક સિદ્ધિઓ મેળવી હતી. આસપાસના વિસ્તારોમાં મહાન તપસ્વી તરીકે તેમની નામના હતી. એક દિવસ સવારે તેઓ ગંગાસ્નાન કરીને સૂર્યને અંજલી આપી રહ્યાં હતા ત્યારે તેમની ઉપર આકાશમાં એક બાજ પોતાના તીક્ષ્ણ નહોરવાળા પંજામાં એક ઉંદરડીને પકડીને લઈ જતો હતો. મુનિએ તે જોયું.

તરફડતી ઉંદરડીને જોઈને તેમને દયા આવી, એટલે તેમણે નદીમાંથી એક પથ્થર ઉઠાવીને પેલા બાજ તરફ ફેંક્યો, પથ્થર વાગતાં તેના પંજામાંથી ઉંદરડી છૂટી ગઈ અને તે મુનિથી થોડેક દૂર જમીન પર પડી. ઉંદરડીએ કિનારે આવી રહેલા મુનિને આજીજી કરીને કહ્યું, “ભગવન, આપ મને આપની સાથે લઈ જાઓ, મને અહીં જ મૂકીને જશો તો બીજુ કોઈ પ્રાણી પક્ષી મારી નાખશે.”