આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રંભા કહે : 'સાંભળો તો ખરાં, એલા, કોણ બોલે છે ?'
ત્યાં તો સમળી ફરી બોલી : 'મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?
રંભા કહે : 'અરે, આ તો મારી બા જ બોલે છે !'
દાસીઓ કહે : 'ના રે, બા ! એ તો છાપરે બેઠેલી સમળી છે.'
રંભા કહે : 'ખરેખર, એ મારી બા જ છે. એને અહીં લાવો.'
પછી માણસોએ છાપરે ચડીને સમળીને પકડીને મહેલમાં આણી.
દીકરીને જોઈને સમળી તો રાજી રાજી થઈ ગઈ. મા-દીકરી ભેટી પડ્યાં. પછી રંભાએ સમળીને માટે સોનાનું પાંજરું કરાવ્યું ને એમાં એને રાખી.
મા-દીકરી રોજ સુખ દુઃખની વાતો કરે છે, ને ખાય – પીએ ને મજા કરે છે.