પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રંભા કહે : 'સાંભળો તો ખરાં, એલા, કોણ બોલે છે ?'

ત્યાં તો સમળી ફરી બોલી : 'મારી રૂપાળી બાને, મારી રાધિકા બાને, કોણ હરી ગયું ? કોણ જીતી ગયું ? કોણે દીધા વનવાસ ?

રંભા કહે : 'અરે, આ તો મારી બા જ બોલે છે !'

દાસીઓ કહે : 'ના રે, બા ! એ તો છાપરે બેઠેલી સમળી છે.'

રંભા કહે : 'ખરેખર, એ મારી બા જ છે. એને અહીં લાવો.'

પછી માણસોએ છાપરે ચડીને સમળીને પકડીને મહેલમાં આણી.

દીકરીને જોઈને સમળી તો રાજી રાજી થઈ ગઈ. મા-દીકરી ભેટી પડ્યાં. પછી રંભાએ સમળીને માટે સોનાનું પાંજરું કરાવ્યું ને એમાં એને રાખી.

મા-દીકરી રોજ સુખ દુઃખની વાતો કરે છે, ને ખાય – પીએ ને મજા કરે છે.