પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માણસો આવી પહોંચ્યા ન હતાં.

૬. અમે ડાક બંગલામાં ઉતારો કર્યો. વાઇસરૉય સાહેબ તે બંગલામાં ઉતર્યા હતા. તેથી તેના કેટલાક માણસો અને રાવલપિંડીના કમિશ્નર તે બંગલામાં હોવાને લીધે જોકે બંગલો ઘણો સારો છે તોપણ અમને માત્ર એકજ કમરો (ઓરડો) મળી શક્યો.

૭. કાશ્મિરના મહારાજા થોડી મુદ્દતમાં જંબુ જવાના હતા તેથી આ આ બંગલાના કંપાઉંડની બહાર ઘણા તંબુ તૈયાર રાખ્યા હતા. મહારાજા ડાક બંગલા અને હૉટેલોને અપવિત્ર માને છે, તેથી તેમાં અથવા તેના ફળીઆમાં આવતા નથી પણ તંબુમાં જ રહે છે.

૮. રાવળપિંડીના કમિશ્નરને અમે મળ્યા અને થોડી વાતચિત કર્યા પછી અમારા ઓરડામાં આવી દેશના કાગળ લખવા બેઠા.

૯. બે ત્રણ કાગળ લખ્યા તેટલામાં અમારા એક્કા અને માણસો આવી પહોંચ્યા અને મેં "પડ્યા" એ શબ્દ સાંભળ્યો. કાગળ પડતો મૂકી લેખણ કાને ખોશી તુરત બહાર જ‌ઇ એક માણસને "શું થયું? કોણ પડ્યું" એમ પુછવા લાગ્યો. તેણે મને જવાબ નહોતો આપ્યો એટલી વારમાં વશરામ ખવાસે ખોડાંગતા ખોડાંગતા આવી કહ્યું કે "હું પડ્યો." ડાક્ટરે તેને શેક કર્યો પછી અમને કહ્યું કે "નેલીબ્રિજ પર વશરામ ખવાસવાળા એકાનો ટટુ એક વખત પડ્યો. પણ તેણે લાકડું પકડી રાખ્યું અને તેથી બચ્યા. ઘોડાને ઊભો કરી અગાડી ચલાવ્યો પણ તેજ પુલપર પાછો તેજ ઘોડો પડ્યો. આ વખતે વશરામ ઘોડાના પાછલા પગ પાસે પડ્યા એ ઘણું સારૂં થયું; બેમાંથી એક્કે બાજુએ પડત તો હાડકાં પાંસળા વિખાઇ જાત. વશરામ પડ્યા કે તરત જ ઘોડો ઊભો થ‌ઇ ચાલવા લાગ્યો અને વશરામ ઘસડાયા. આખરે નીચે નમી પાછળથી નીકળી ગયા પણ તેના સાથળમાં બહુ વાગ્યું છે."

૧૦. આ નેલીબ્રિજ ચિકોટી અને ગીરીની વચમાં છે. માત્ર લાકડાંનો જ બનાવેલો છે. ડાબા હાથ પરના પર્વતોમાંથી જેલમ જેવી જ