પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૫. અસ્તેય

૧૯-૮-’૩૦, ય. મં.
મંગળપ્રભાત
 


હવે આપણે અસ્તેયવ્રત ઉપર આવીએ છીએ. ઊંડે ઊતરતાં આપણે જોઈશું કે બધાં વ્રતો સત્ય અને અહિંસાના અથવા સત્યના ગર્ભમાં રહ્યાં છે. તે આમ દર્શાવી શકાય:

જેટલું લંબાવીએ તેટલું.

કાં તો સત્યમાંથી અહિંસા ઘટાવીએ અથવા સત્ય અહિંસાને જોડી ગણીએ. બન્ને એક જ વસ્તુ છે; છતાં મારું મન પહેલા તરફ ઢળે છે. ને છેવટની સ્થિતિ જોડીથી, દ્વંદ્વથી અતીત છે. પરમ સત્ય એકલું ઊભે છે. સત્ય સાધ્ય છે, અહિંસા એ સાધન છે. અહિંસા શું છે એ જાણીએ છીએ; પાલન કઠિન છે. સત્યનો તો અંશમાત્ર જાણીએ છીએ; સંપૂર્ણતાએ જાણવું દેહીને સારુ કઠિન છે, જેમ અહિંસાનું સંપૂર્ણ પાલન દેહીને સારુ કઠિન છે.

અસ્તેય એટલે ચોરી ન કરવી. ચોરી કરે તે સત્ય જાણે કે પ્રેમધર્મ પાળે એમ કોઈ નહિ કહે. છતાં ચોરીનો દોષ આપણે સહુ થોડેઘણે અંશે જાણેઅજાણે કરીએ છીએ. પારકનું તેની રજા વિના લેવું એ તો ચોરી છે જ. પણ પોતાનું ગણાતું પણ માણસ ચોરે છે: - જેમ એક બાપ