પૃષ્ઠ:Van Vruksho.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઈ વાર આપણે વૈદને જઈને પૂછીએ કે આની છાલનો શો ગુણ ? ને આનાં ફૂલનો શો ગુણ ? ને આના મૂળનો શો ગુણ ? તો તે ઘણું ઘણું કહેશે.

વૈદ કહેશે : લીમડાની અંતરછાલ પાણીમાં પલાળવી; તેનું પાણી પીવાથી તાવ મટશે. સાગના મૂળને ઘસીને પાવાથી સાપનું વિષ ઊતરશે. ગુલાબની પાંખડીમાંથી અત્તર નીકળશે ને તેનો ગુલકંદ પણ થશે.