અમૃતવર્ષણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અમૃતવર્ષણ
કેશવ હ. શેઠ
(ઢાળ : એક ન્હાનું સરીખું બાળ, રે બ્હેન !
આવ્યું છે આપણે આંગણિયે)


<poem> તીરે તરસ્યાં ઊડે છે પેલાં પંખેરુબાળ, મેહુલા ! મીઠડું વરસીજા : તપોવનમાં પંખેરુ ઝંખે હવા હૂંફાળ. વાદળી ! ઝરમર વરસીજા : તીરે૦

કોકે વીંટી કંટાળીને ઝાડિયો જો, હાં રે કીધી વેરાનશી વાડિયો જો:

લૂંટી કલ્પલતા, ને ગૂંથી માયાવી જાળ, મેહુલા ! મીઠડું વરસીજા : તપોવનમાં પંખેરુ ઝંખે હવા હૂંફાળ. વાદળી ! ઝરમર વરસીજા : તીરે૦

ફૂટે સ્વાતિ-ફૂવારા ત્હારા સોન્ધુડે જો ! છલકાવી દે ક્યારા અમીબિન્દુડે જો :

પ્રાણપંખેરું ઝંખે મુક્તિમેળો રસાળ, દૂધડે, દેવદૂત ! વરસી જા: હાં રે ભારતને ભેખ તપે તપસી ત્રિકાળ: ભારતિ ! અમૃત વરસીજા : તીરે૦