અમૃતવર્ષણ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
અમૃતવર્ષણ કેશવ હ. શેઠ |
આવ્યું છે આપણે આંગણિયે) |
<poem>
તીરે તરસ્યાં ઊડે છે પેલાં પંખેરુબાળ,
મેહુલા ! મીઠડું વરસીજા :
તપોવનમાં પંખેરુ ઝંખે હવા હૂંફાળ.
વાદળી ! ઝરમર વરસીજા : તીરે૦
કોકે વીંટી કંટાળીને ઝાડિયો જો, હાં રે કીધી વેરાનશી વાડિયો જો:
લૂંટી કલ્પલતા, ને ગૂંથી માયાવી જાળ, મેહુલા ! મીઠડું વરસીજા : તપોવનમાં પંખેરુ ઝંખે હવા હૂંફાળ. વાદળી ! ઝરમર વરસીજા : તીરે૦
ફૂટે સ્વાતિ-ફૂવારા ત્હારા સોન્ધુડે જો ! છલકાવી દે ક્યારા અમીબિન્દુડે જો :
પ્રાણપંખેરું ઝંખે મુક્તિમેળો રસાળ, દૂધડે, દેવદૂત ! વરસી જા: હાં રે ભારતને ભેખ તપે તપસી ત્રિકાળ: ભારતિ ! અમૃત વરસીજા : તીરે૦