આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એ કવિ ચડોતર જીલ્લાના સંધેસર ગામનો ભાટ હતો. તે સંવત ૧૮૩૮માં હયાત હતો. પ્રથમ તે વિષ્ણુ ભક્ત હતો. તેથી તેણે વિષ્ણુની ઉપાસના વિષે ઘણાં પદ કરેલાં છે. પછી તે બ્રહ્મજ્ઞાની એટલે વેદાંતી થયો હોય એવું જણાય છે. તેણે ગુજરાતી ભાષામાં ગીતા કરેલી છે. તથા પદ, ગરબિયો, ધોળ વગેરે છુટક કવિતા તેણે ઘણી કરેલી છે. એની કવિતામાં ઘણી મિઠાશ છે. તેથી માણસના મનને અસર થાય છે. એની કવિતા આખા ગુજરાતમાં ફેલાઈ છે. એ કવિ પેહેલા વર્ગમાં ગણવા લાયક છે. એના સંબંધી વિશેષ હકીકત મારા જાણવામાં આવી નથી.