પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ભોજન ટાણે યજમાન બિરદાવળ

ઝવેરચંદ મેઘાણી

મિષ્ટ ભોજન જમવા ટાણે જે અન્નદતા યજમાન બિરદાવળ બોલે છે. તે -
બા..પો…. હડુડુડુ ઘી ઘી
ન્યાં હોય લીલા દી’
દૂધૂંવાળો દડેડાટ,
ઘીયુંવાળો હડેડાટ
એમાં મળિયું ૧ આઈયું ૨
ને માઠિયા આપા
જાય તણાતા
જાવ દ્યો,
કોઈ આડા ફરતા નૈ
કોઈ રાવળ આવે હડવડે
કોઈ પડપડે
કોઈ મનમાં કચકચ થાય
કોઈ મળિયું૧ ગોદડાં સંતાડે
આઈ દિયે ને આપો વારે
આઈ દિયે ને આઈ વારે
એને લઈ જાય જમને બારે
કોઈ જાતો કોઈ આવતો
કોઇ કાશી કોઈ કેદાર
અન્યનો ખદ્યાર્થી૨ હોય ઈ આવજો….
..ભાઈને ન્યાં કરો ભર્યો ગાજે
બા…પો ! હ ડુ ડુ ડુ