પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જોબનભરી નરજાતિઓ ઉન્નતિપથ ઊછળન્ત,
બુદ્ધિ હૃદય ચારિત્ર્યનાં વિજયફેન ફરકન્ત;
ઘૂઘવતી હર્ષગભીર મહન્ત. શકુનનું૦

અસલ કુલવ્રત આપણું એ જોબન, એ પન્થ,
રાજયોગ એ, આર્યહોત્ર એ, ફરી કરો જીવન્ત;
નવો મંગલ યુગ વર્તાવન્ત. શકુનનું૦