પૃષ્ઠ:Anand-dhan Chovishi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્ઞેય વિનાશે હો જ્ઞાન નિનશ્વરુ, કાળ પ્રમાણે રે થાય. સુજ્ઞાની...
સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય સુજ્ઞાની... ધ્રુવપદ...

પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ. સુજ્ઞાની...
આત્મ ચતુષ્કમયી પરમાં નહીં, તો કિમ સહુનો રે જાણી સુજ્ઞાની... ધ્રુવપદ...
 
અગુરુલઘુ નિજગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત. સુજ્ઞાની...
સાધારણ ગુણની સાદ્યર્મ્યતા, દર્પણ જલને દૃષ્ટાંત સુજ્ઞાની... ધ્રુવપદ...

શ્રી પારસજિન પારસ રસ સમો, પણ ઈ હાં પારસ [૧]નાંહિ. સુજ્ઞાની...
પૂરણસીઓ હો નિજગુણ, પરસનો[૨], આનંદધન મુજ માંહિ સુજ્ઞાની... ધ્રુવપદ...



૨૪. શ્રી મહાવીર જિન સ્તવન

(રાગ: ધનાશ્રી)

શ્રી વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગુ રે;
મિથ્યામોહ તિમિત ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે... વીરજીને... ૧

છ‌ઉમથ્થ વીર્ય લ્શ્યા સંગે, અભિસંધિ જ મતિ અંગે રે;
સૂક્ષ્મ સ્થૂલ કિયાને રંગે, યોગી થયો ઉમંગે રે... વીરજીને... ૨

  1. પાયાણરૂપ પારસ નહીં.
  2. આત્મગુણરૂપ પારસનો.