પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે ભારત! તમોગુણ અજ્ઞાનમૂલક હોઈ તે દેહધારી માત્રને મોહમાં નાખે છે અને તે અસાવધાનતા (ગફલત), આળસ અને નિદ્રાના પાશથી દેહીને બાંધે છે. ૮.

હે ભારત! સત્ત્વ આત્માને શાંતિસુખનો સંગ કરાવે છે. રજસ્ કર્મનો, અને તમસ્ જ્ઞાનને ઢાંકીને પ્રમાદનો સંગ કરાવે છે. ૯.

હે ભારત! જ્યારે રજસ્ અને તમસ્ દબાય છે ત્યારે સત્ત્વ ઉપર આવે છે. અસત્ત્વ અને તમસ્ દબાય છે ત્યારે રજસ્ [ઉપર આવે છે] અને સત્ત્વ અને રજસ્ દબાય ત્યારે તમસ્ ઉપર આવે છે. ૧૦.

બધી ઈન્દ્રિયો દ્વારા આ દેહને વિશે જ્યારે પ્રકાશને જ્ઞાનનો ઉદ્‍ભવ થાય છે ત્યારે સત્ત્વગુણની વૃધ્ધિ થઇ છે એમ જાણવું. ૧૧.

હે ભરતર્ષભ! જ્યારે રજોગુણ્ની વૃધ્ધિ થાય છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ (અતૃપ્તિ) અને ઇચ્છાનો ઉદય થાય છે. ૧૨.

૧૩૯