પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૮




પદ ૯ ગરબો રાગ પરજનો.

હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે;
એમ શ્રુતિ સ્મૃતિના સંત, વદે વેદ વાણી રે. ટેક.
વાલે ઉગાર્યે ! પ્રહ્‌લાદ, હરણા કંસ મારી રે;
વાલે આપ્યું વિભીષણને રાજ, રાવણ સંહારી રે.— હરિને. ૧.
વાલે અંઅરીષ સારૂં અવતાર, આપે હરિ ધારિયારે;
વાલે ગજની તે કીધી સાર, ગરૂડ પ્રહરિયારે — હરિને. ૨.
વાલે મીરાંબાઈનાં ઝેર, હળાહળ પીધાં રે;
પૂર્યાં પંચાળીના ચીર, પાંડવ કામ કીધાં રે — હરિને. ૩.
વાલે નરસીમેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.— હરિને. ૪.
વાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કર જોડ, હેતે દુઃખ હરિયાં રે. —હરિને. ૫.