પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પંડ્ય ને વરમંડમાં જ્યારે

પંડ્ય ને વરમંડમાં જ્યારે વાણી નો’તી ત્યારે
 નભમેં બુંદ નવ ઝરતા રે જી
 બ્રહ્મા ને વિશ્ણુ મહેશ્વર નો’તા રે
 ત્યારે આપોઆપ અકરતાજી રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં
 બા’ર ને ભીતર એક બ્રહ્મ છે જી.

મનમથી માયા રે મે’લ રચાયો,

 ત્યારે નાદ ને બુંદ પરકાશ્યા રે જી
 પાંચ રે તતવ લઇને પરગટ કીઘાં રે જી
 ત્યારે ચૌદ લોક રચાવ્યા જી
સાચો સાચો મહાઘ્રમ છે હાં

મૂળ મહામંત્ર લૈને પંથ પરકાશ્યો,
 ત્યારે ઘાટે ને પાટે પૂજા કીઘી રે જી
 પાંચે ય મળીને મહાવ્રત સાઘ્યાં રે
 ત્યારે નામ તો ઘરાવ્યાં નીમઘારી રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં

મેરુ શિખરથી ગંગાજી મંગાવ્યાં જી
 વાચે ને કાછે તરવેણી જી
 ભગત જગતને લૈને એંઘાણી રે
 શબદુંમાં રે’ણી ને કે’ણી રે જી

સાચો સાચો મહાઘ્રમ છે હાં

ઘ્યાન ને ઘરમ લૈ પરમારથ પેખો રે
 આપો પણ નવ લેખો રે જી,
 ગુરુને વચને તમે હુઇ કરી હાલો રે,
 સરવામાં નિરંજન દેખો રે જી