પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
બીરબલ વિનોદ.


તો એકજ છો પણ નાયિકાઓ ઘણી છે, માટે આપ જેને મુખ્ય ગણતા હો તેની પાસેથી ખુલાસો મેળવવો રહ્યો.

બાદશાહે કહ્યું “મોટી બેગમને નાયિકા બનાવો.”

આ સાંભળી બીરબલ પુસ્તક ઉપડાવી બેગમ પાસે ગયો અને થોડીક સાધારણ વાતચીત કર્યા બાદ પૂછવા લાગ્યો “જેવા પ્રકારે રામચંદ્રજીના રામાયણી નાયિકા સીતાજીને ચૌદ વર્ષ સુધી રાવણના ઘરમાં રહેવું પડ્યું હતું. તેવી રીતે આપ કોને ત્યાં રહ્યા છો ! એ ઉત્તર મળતાં “અકબરી રામાયણ” સંપૂર્ણ રીતે લખાઈ જશે.”

આ વાત સાંભળી બેગમ ઘણીજ ગુસ્સે થઈ તેણે દાસીને પેલું પુસ્તક બાળી નાંખવાની આજ્ઞા આપી દીધી. દાસીએ બેગમના દેખતાંજ તે બાળી નાંખ્યું. આ બનાવ બન્યા પછી બીરબલ નિરાશ થતો ત્યાંથી બાદશાહ પાસે ગયો અને બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું "જહાંપનાહ ! હવે આપની શી આજ્ઞા છે ? જો ફરીથી એ પુસ્તક લખાવવાની ઈચ્છા હોય તો તે થઈ શકે તેમ છે.”

બાદશાહ બોલ્યો “બીરબલ ! ખેર, જે બનવાનું હતું તે બની ગયું, હવે બીજી વાર લખાવવાની આવશ્યકતા નથી. રામચન્દ્રજીની સમતા હું ક્યાંથી કરી શકું? મેં તો કેવળ તારી પરિક્ષા લેવા ખાતર એ કામ કર્યું હતું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રૂપીયા તને આપવામાં આવે છે તેનો વ્યય તે સારા સારા કામોમાં કરે છે, એટલા માટે જ હું ગમે તે બ્હાને તને રૂપીયા આપ્યા કરું છું”*< [૧]


  1. *આવાજ મતલબની એક વાર્તા "શાહી મહાભારથ"