આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'જેને કોઈ કાળે પણ વીસામો લેવાનો વખત આવતોજ નથી એવી કોઈ વસ્તુ છે ?' બીરબલે કહ્યું કે, 'હજુર ! સાહુકારનું વ્યાજ ! કે જેને ઘડીકની પણ ફુરસદ ન મળતાં રાત ને દિવસ આગળ વધ્યાજ કરે છે.' આ સાંભળી શાહ ઘણો ખુશી થયો,
સાર--માથે આવેલા દુ:ખને તાબે થવું, પણ મારવાડીનું ચાલુ વ્યાજ ભરવાને મારવાડીને ત્યાંથી વ્યાજે નાણાં લેવાં નહીં.