પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાર - વિદ્વાન રાજાઓની દરબારમાં વિદ્વાનોજ પુજાય છે, પણ અકલહીણ રાજાઓના દરબારમાં સાક્ષરોનું અપમાન થાય છે. પણ અકબર તેવો નહોતો. સારાસારનો વિચાર કરનારો, અને જ્ઞાની અજ્ઞાનીને ઓળખનારો હતો તેથી તેણે ભરતખંડમાં કીરતી સંપાદન કીધી હતી.

-૦-