પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
નરસિંહ મહેતો

કર્મ-ધર્મની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે;
સઘળા પદારથ જેથકી પામે, મારા પ્રભુની તોલે ના’વે રે. એવારે.
હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે. એવારે.

પદ ૨૮ મું.

હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો, મોતીડે વધાવ્યા રે. હળવે.
કીધું કીધું કીધું મુજને, કાંઇક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારૂં, ચિતડું ચોરી લીધું રે. હળવે.
જાગી જાગી જાગી હું તો, હરિ મુખ જોવા જાગી રે.
ભાગી ભાગી ભાગી મારા, ભવની ભાવટ ભાગી રે; હળવે.
ફૂલી ફૂલી ફૂલી હું તો, હરિમુખ જોઇને ફૂલી રે;
ભૂલી ભૂલી ભૂલી મારા, ઘરનો ધંધો ભૂલી રે. હળવે.
પામી પામી પામી હું તો, મહા પદવીને પામી રે;
મળિયો મળિયો મળિયો મેહેતો, નરસૈંયાઓ સ્વામી રે.હળવે.