પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
ચિત્રદર્શનો
 

આત્મવાદીએ ત્હારે તો
દેવાદીઓને જીતવા છે ને ?
શ્રીકૃષ્ણના ઓ સખા !
સુદામાપુરીના વાસી !
એ કાલજૂનાં સત્યો
સાચાં પાડવાં છે ને ત્હારે?
સૌ જાણે છે એ સર્વસિદ્ધ વાત
કે દેહથી આત્મન્
અળગો ને ઉપર છે.
ચિત્રદ્રશના
સહુ આત્મવાદીઓ ઉચ્ચારે છે આશીર્વાદ,
‘જય હો ! જય હો !
ચૈતન્યપૂજકનો ત્હારો
સ્થૂલપૂજકોના સંઘમાં:
જય હો! જય હો!
આત્મબલવન્તાનો તુજ
દેહબલિષ્ઠ લોકપરિવારમાં
નાસ્તિકો વિના સૌ જાણે છે
કે દેહ નશ્વર છે,
ને આત્મા અમ્મર છે.
ને તુજબોધ્યાં આત્મબલે, મહાત્મન્ !
એટલાંજ છે. અમ્મર આત્મદેશમાં.

ચ્ચાસ વર્ષોનો ઉત્સવ !
અર્ધી સદી વીતી ગઇ