પૃષ્ઠ:Dayaram Lekhan.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઓ જશોદાજી !

ઓ જશોદાજી ! એવડો લાડકવાયો લાલ ન કીજીયે.
રે ! ક્ય્હાં સુધી સુતનાં ચોરચરિત્ર જોઇને રીઝિયે ?

વ્હાલે કૌતુક કીધું મંદિરમાં;
એક માખણપિંડ લીધો કરમાં;
એણે માંકડલાં ઘાલ્યાં ઘરમાં. ઓ જશોદાજી !


વ્હાલો સંતાડ્યાં શોધી (ક હા)ડે;
હોય ઉંચાં પણ હેઠાં પાડે;
એ તો ખાય ખવરાવે વણસાડે. ઓ જશોદાજી !


વ્હાલો સૂતાં બાળક્નાં અંગ મોડે;
મ્હારાં બાંધ્યાં વાછરૂં છોડી મેલે;
દહીં દૂધ તની રંજાડ કરે. ઓ જશોદાજી !


દયાના પ્રીતમ સ્વામી રસિયા;
ખાન ગોરસ પર આવે ધસિયા;
ધન્ય ભાગ્ય અમારૂં વ્રજમાં વસિયાં. ઓ જશોદાજી !