પૃષ્ઠ:Dayaram Lekhan.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઈ તું મરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપ તણું અજ્ઞાનપણુ એ, મૂળ વિચારે ખરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !