લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

જાય છે. પોતાથી ચૂલો પણ સળગાવાતો નથી અને અનેક જાતના અન્નના અખતરા મારી પાસે કરાવે છે.

મેં કહ્યું: તમે પણ કયાં ઓછાં અખતરાખોર છો? આપણા સંસારમાં ઘણી વાર બની જાય છે તેમ આ પતિ પત્ની બન્ને સરખા સ્વભાવનાં પ્રયાગશૉખી હતાં. ધીરુ બહેન કપડાંના અનેક પ્રયોગો કર્યા કરતાં. તેમણે કહ્યું: મારા પ્રયોગથી હું કોઈ બીજાને તો નથી હેરાન કરતી ને!

ધનુભાઈનાં બહેન પ્રમીલા બહેન બોલી ઊઠ્યાં : પ્રયોગ કરનારથી બીજાં ઉપર આક્રમણ કર્યા વિના રહેવાતું નથી. ચીનુ હજી બિચારો બાળક છે એટલે જે કરો છો તે સાંખી લે છે બાકી તમે તેના પર કરવામાં કશી બાકી નથી રાખી. મોટો થશે ત્યારે તમને એની ખબર પડશે.

ધીરુબહેન: “ચીનુ મોટો થશે ત્યારે એટલો પ્રયોગશૂરો થયો હશે કે ફરિયાદ કરવાને બદલે મને ઊલટો મદદ કરશે. પછી તેને કશું જ નવું કે વિચિત્ર નહિ લાગે.”

ધનુભાઈ ચાલુ વાતમાં ધ્યાન નહોતા આપતા પણ કાંઈ મનમાં જ વિચાર ચલાવતા હતા તે બોલ્યા : જુઓને, આટલાં વરસથી આપણે એવું એક પણ અન્ન નથી શોધ્યું જે ઘણા માણસો માટે એક સાથે સહેલાઈથી થઈ શકે અને સુપચ્ચ હોય. સ્ત્રીઓને છૂટ આપવી હોય, તેને સામાજિક કામમાં ભાગ લેતી કરવી હોય, તો તેનો રાંધવાનો બોજો હલકો થાય તેવાં અન્ન શોધવાં જોઈએ.

એમનું ભાષણ પૂરું થાત જ નહિ પણ ત્યાં ધીરુબહેને તેમનો વાણીપ્રવાહ કાપ્યો: એટલે મને વધારે છૂટ આપવા મારે માટે કામ વધારતા જાય છે. સમજ્યા !

મેં કહ્યું: નરસિંહ મહેતા કહી ગયા છે કે ‘વાત પકવાનથી ભૂખ ન ભાગે.’ પકવાનની વાતો નકામી છે. જો