પૃષ્ઠ:Ek-Taro.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૬]
:એકતારો:
 


વીર જતીન્દ્રનાં સંભારણાં
O

રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ,
તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ

સિંધુડા–સૂર શરણાઈના નવ સુણ્યા,
હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા,
દાવ પડ ઘાવ નવ ખડગના ખણખણ્યા
યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા. ૧.

વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી,
બિન્દુ બિન્દુ રક્તનાં રિપુને દીધ ગણી;

બિન્દુએ બિન્દુએ રક્ત દીધાં ગણી,
ચૂકવી પલપલે દેહની કણીકણી,
મૃત્યુને ગણ્યું તેં ગોદ માતા તણી,
કે શું પ્રિયમિલનની રાત સોહામણી ? ૨.

આવે મંગળ અવસરે, કોણ વિલાપ કરે !
કાયરતાને આંસુડે કોનાં નેન રડે !

વેગળી જાઓ રે અશ્રુની વાદળી !
વીરનાં તેજને નવ રહો આવરી,
નિરખવા દો મુને લાખ નયનો કરી,
આહૂતિ–જ્વાલ એ બાલની અણઠરી. ૩.