પૃષ્ઠ:Ek-Taro.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૫૯]
 



નૂતન યુગના જોગંદર જગદીશને—*[૧]
[કટાવ]
Ο

ભૂકમ્પે દફનાઈ ગયેલા
આ પાષાણી ખંડેરોની
રજ ખંખેરી,
કોણ અદીઠા તપોભવનને
તેં અજવાળ્યું
ઓ જગદીશ !
ઓ જગદીશ !

કયા પુરાતન આર્ય મહર્ષિ
તણો નવોદિત
તું અવતારી
ઓ જગદીશ !
ઓ જગદીશ !


  1. * કવિ ટાગોરના બંગાળી કાવ્યના અંગ્રેજી પરથી અનુવાદ.