પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે પછીની ખુરશીઓએ બેસતા'તા કલાપીના કાશ્મીર પ્રવાસના સંગાથીઓ જાની માસ્તર, જોશી માસ્તર, ને સંચિત-શ્રી રૂપશંકર ઓઝા. સંચિત એમનું ઉપનામ. એ ઉપનામે એ કવિતા રચતા. કલાપીના સાહિત્યદરબારે તેમ રાજદરબારે એમની પગદંડી હતી. સંચિત હોય તો કલાપીજીવનના કંઈક કોયડાઓની ઘૂંચો ઉકેલે. કલાપીના સાહિત્યદરબારમાંથી સંચિતને કાવ્યપ્રેરણા પ્રગટેલી. સંચિતદ્વારા શ્રી લલિતજીએ એ સાહિત્યદરબારમાં કંઈક ડોકિયાં કીધેલાં; પણ એમની ત્ય્હારે છે જ ઉગતી વય હતી. આઠેક વર્ષની હતેલી. રમણપૂતળી સમી શોભનાનાં સોળેક વર્ષના રાજકુમારને પ્રથમ આકર્ષણ ઉગ્યાં ત્ય્હારે કને બેઠા હતા તે જાની માસ્તર. કલાપીના ખાનગી શિક્ષક હતા, સાહિત્યરસિયા હતા. જોશી માસ્તર બાવાભાઈના ખાનગી શિક્ષક હતા, અને પછી વડિયે વતન કીધું હતું. રાજકોટમાં કૉલેજને પડખે લીમડીઉતારામાં કલાપી સહકુટુંબ રહેતા. એવામાં આંખો દુઃખવા આવી હતી; ત્ય્હારે માસેક દિવસ શ્રી હરિશંકર પંડ્યા કલાપીની આંખો થયા હતા, પંડ્યાજી વાંચતા ને કલાપી અવધારતા.

ક્ષત્રિયવટ્સનો યે કલાપીનો સાહિત્યદરબાર ન્હોતો. ક્ષાત્ર પિતાપુત્રની બે જોડલીઓ કલાપી સાહિત્યદરબારમાં બિરાજતી, અને એને મધ્યકાલીન ક્ષાત્રવટના વીરરંગે રંગતી. રવાજીમામા લીમડી ભાયાત હતા, હરપાળવંશી હતા, રમૂજી વડીલ હતા, રાજપૂતી જીનવટની પ્રતિમા હતા. ક્ષત્રિયવટની વાતો માંડી રવાજીમામા ક્ષાત્રભાવના જમાવતા. રવાજીમામાના કુંવર સરદારસિંહજી ત્ય્હારે મ્હારી ને મેરૂજીભાઈની હારે મુંબઈ એલફિન્સ્ટન કૉલેજમાં ભણતા, ગુજરાતી સભા ગજવતા, રજાઓ લાઠીએ ગાળતા, સદ્‍ભાગ્યે પછી સદાનો પારીસવાસ કીધો, ઝવેરી થયા, સમાજવાદની દીક્ષા લીધી. ફરી ગુજરાત દીઠો નથી.

અને બીજી પિતાપુત્રની બેલડ હતી કચ્છપત્રીના જાડેજાવંશી પ્રતાપભગવતની. પ્રતાપસિંહ જાડેજા રમાબાની સંગાથે કચ્છરોહાથી આવેલા. ભાષાકવિતાના રસિયા હતા.ચન્દરાસાના છન્દ લલકારે ને વ્રજભાષાનાં શૃંગારકવિતોએ સાહિત્યદરબાર રણકાવતા, વીર ને શૃંગારનાં છાંટણાં છાંટતા. પ્રતાપસિંહના પુત્ર ભગવતસિંહ પછીની વીશીમાં લાઠીના દીવાનપદે હતા.

કૉલેજકાળના બીજા બે કલપીગોઠિયા વિસારવા જેવા નથી. કલાપીની સગીરાવસ્થામાં કંઈક વર્ષો સંસ્થાનમેનેજર હતા આશારામભાઈ, ને આશારામભાઈની જોબનભરી