આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વૈતાલીય
છંદ : વૈતાલીય
બંધારણ :
• ચાર ચરણ
• પહેલા અને ત્રીજા ચરણમાં પ્રથમ છ માત્રા + "ર" ગણ + લઘુ અને ગુરુ = કુલ ૧૪ માત્રા
• બીજા અને ચોથા ચરણમાં પ્રથમ આઠ માત્રા + "ર" ગણ + લઘુ અને ગુરુ = કુલ ૧૬માત્રા
ઉદાહરણ :
કળિયો મુખ અર્ધું ખોલિને
અટકી આ જલ વીણ શોષથી;
ગુંચવે ઉગતી સુ-વેલિને,
તૃણ કાંટા વધિ આસપાસથી.
ચરણ | ૬ માત્રા | "ર" ગણ | લઘુ +ગુરુ |
૧ | કળિયો મુખ | અર્ધુંખો | લિને, |
૩ | ગુંચવે ઉગ | તી સુ-વે | લિને, |
ચરણ | ૮ માત્રા | "ર" ગણ | લઘુ +ગુરુ |
૨ | અટકી આ જલ | વીણ શો | ષથી; |
૪ | તૃણ કાંટા વધિ | આસપા | સથી. |