આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ધનાક્ષરી
છંદ : ધનાક્ષરી
બંધારણ:
- બે ચરણ
- પ્રત્યેક ચરણ ૩૧ અક્ષરો
- આ છંદ દક્ષિણનો મનાય છે.
ઉદાહરણ :
ઘરમાં અને બહાર, ઉંઘતાં ને જાગતાં;
ખાતાં પીતાં ને ચાલતાં, સેવક તે સેવક છે
કદી તે ભંડારી થાય, કદી થાય નાણાવટી
કદી લડવૈયો થાય, વેશ એવા અનેક લે;
અન્ય પ્રકાર
એક અન્ય માહિતી મુજબ ધનાક્ષરી છંદનું બંધારન આ પ્રમઆણે હોય છે
- બે ચરણ
- પ્રત્યેક ચરણ ૩૨ અક્ષરો
- આ છંદ દક્ષિણનો મનાય છે.
- ૩૨ અક્ષરોને ૧૬ ૧૬ના બે ટુકડામાં વહેંચીને લખવામાં આવે છે.
- આ સોળે સોળ અક્ષરોને ચાર ચારના ટુકડાઓમાં ‘સાથે રાખી’ને ઉચ્ચારવામાં આવે છે.