પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જે ઉપર ઊજળા દેખાય છે. એ ભીતરમાં જુદા જ હોય છે; નિશાથી તો દિનકર પણ ડઘાય છે, જાણીને ઝગમગ ઘવાય છે. જયાં કપટના...

મને મારી અંતરની સૂક્ષ્મ દૃષ્ટિ વડે જે જગતના પ્રપંચ દેખાયા તે કદાચ ચર્મદૃષ્ટિથી હું નિહાળી શકયો ન હોત આંખો વડે પ્રાપ્ત થતી દૃષ્ટિબાહય દશ્યોનું ચિત્રામણ મગજસુધી પહોંચાડે છે, પરંતુ આંતરિક દૃષ્ટિ આધ્યાત્મિક દશ્યોમાંથી મળતું તેજ આપણા સુધી પહોંચાડી તેના અજ્ઞાનનું અંધારું ઉલેચવામાં સહાયભૂત થાય છે. આવી દષ્ટિપ્રત્યેક વ્યકિતને પ્રાપ્ત થાય તેવી અંતઃપૂર્ણ અભ્યર્થના.