પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સ્વ. જાલભાઈ દોરાબજી ભરડાના પુણ્યસ્મરણને


• ધોળ •

મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો !
જ્યાં હો નિર્મળ તમ આત્માનું નંદ્નધામ :
પળપળ તરતી રહે તમ પ્રતિમા અંતર લોચને,
સ્નેહલ જાલતણું રસના રટતી રહે નામ :
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૧

પ્રભુના પુણ્યપથે જ અહોનિશ પદ તમ દોરવ્યાં,
અમ અંગુલિ પણ એ જ પથે રાખી તમ હાથ;
દૂરસુદૂર ઝંગતી જ્યોતિ પરમ વિજ્ઞાનની,
ત્યાં તમ દૃષ્ટિ અચૂક રહી તમ પગલાં સાથે !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૨
 
સાદુ, સીધું, સૂધું હૃદય સદા સ્નેહે ભર્યું,
દોરંગી દિનિયાનાં કૂડકપટથી દૂર;
ઉન્ન્ત આદર્શોનાં સ્વપ્ન સદા સેવ્યાં ઉરે,
તેનાં નીતર્યાં નયને અદ્ભુત નૌતમ નૂર !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૩