રાજા: અમારા ઉપર એવો ભરમ શીદ રાખો છો, કોઈ દહાડે રજપુત લોક એવું કામ કરે ?
ભાઈ૦: રજપુત તો શું પણ અમે વકીલ લોક તો સૌની વાતો જાણીએ, આપણું શેહેર બધું પૈસાનું ગુલામ છે. પાંચશેર મગદળ વાસ્તે જુઠા સમ ખાઈને ગીતા ઉપાડે છે તેનો ધણી કોઈનો માલ હાથમાં આવે તો છોડે ?
રાજા: અરે રામ રામ તારો જીવ ફર્યો છે કે શું ?
ભાઈ૦: વાહ ! કેવા લોકો આ શેહેરમાં રહે છે, પહેલી ચોરી કરીને પછી વળી પસ્તાવો શો કરવો.
રાજા: અરે કાંઈ ભાંગ્ય પીધી છે કે શું ? એવું બોલે છે.
ભાઈ૦: વારૂ ઠીક છે, આ રીતે તમે એક બે વાર કોઈના ઘરમાં ઘા દઈ આવશો એટલે પછી પસ્તાવો નહી થાય ! હજી તમે કાચા છો તેથી પસ્તાઓ છો.
રાજા: અરે બકવા શી કરે છે; તું જાણે છે કે, આ ચોરી કરી આવ્યા છે, તે મને માંહેથી ભાગ આપે.
ભાઈ૦: ભાગ તો આપવો જ પડશે તો.
રાજા: ના, ના, એમ તો નથી, બીજી વાત છે.
ભાઈ૦: શું કર્યું છે ? કોઈનો દગો કરીને ધન લાવ્યા છો ?
રાજા: અરે તને ભૂત વળગ્યું છે કે શું ?
ભાઈ૦: ત્યારે મને કહો તો ખરા, તમે કેની મિલ્કત લાવ્યા છો ?
રાજા: મેર મૂરખા મિલ્કત કોની લાવે.
ભાઈ૦: હે ગણપતી, આ રજપુત વકીલનું કામ પોતે જ લેશે કે શું ? ને સાચું તો બોલતા જ નથી, પંડે રાજા એવાં કામ કરશે ત્યારે વાણિયાનાં છોકરાં શું હજામત કરશે ?
રાજા: ભાઈ અમે હજી કોઈ દહાડો અદાલતમાં આવ્યા નથી જે જુઠું બોલતાં આવડે.
ભાઈ૦: અરે એમાં શીદ બીહો છો, છોને શેહેરમાં બુમ ચાલી પણ કરભીરી લોકોને થોડીક ભુરશી દક્ષણા આપીશું એટલે કાંઈ ફીકર નથી.
રાજા: ભાઈ તમે અમારા સારા મિત્ર દેખાઓ છો, જાણિયેછિયે કે ત્રણ આપીને બાર અમારી પાસેથી લેશો.
ભાઈ૦: ઠીક છે, જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે. પણ અમે જાણિયેછિયે કે, અમારા મિત્રને બાઇડી છોકરાં સહિત અદાલતના પાંજરામાં ઉભું રહેવું પડશે, તે વખત ફતુ જમાદારના જેવું થશે.
રાજા: જાને લુચ્ચા અમને કાંઈ થનાર નથી અને એવું થશે કે આજથી હવે સારા