પૃષ્ઠ:Lakshami Natak.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાઈ૦: આંધળી છે ?

રાજા: હા.

ભાઈ૦: ત્યારે કોઈક વૈદને બોલાવીએ.

રાજા: ક્યાંથી વૈદ લાવીએ. શેહેરમાં વૈદનો વંશ ગયો છે, કોઈને પોતાની વિદ્યા પૈશા વિના ભણાવી નહી તેથી.

ભાઈ૦: લ્યો. હું તપાસ કરૂં એ દાજીભાઈ, દાજીભાઈ.

દાજી: અલ્યા હાજી ભાઈ કેને કહે છે શું મુસલમાન દીઠા.

ભાઈ૦: અરે આપણા શેહેરમાં કોઈ વૈદ છે ?

દાજી: હશે પણ મેં તો સાંભળ્યો નથી.

ભાઈ૦: વૈદ વિના આ માંદા લોકોને કોણ મારી નાંખતું હશે ?

દાજી: અરે આ શેહેરમાં નથુડો હજામ બરાબર વઈદું જાણે છે. તે તેની નાડ ઝાલે છે તે તુરત દુધેશ્વર પહોંચે છે.

રાજા: હું જાંણું છું કે ધનવંતરીના દેવળમાં એને લેઈ જઈને શુવારીએ.

ભાઈ૦: ઠીક છે કાંઈ વિલંબ કરવી નહી. એ જ કરવું.

રાજા: ચાલો ત્યારે.

ઝાંપડો૦: અરે લુચ્ચાઓ શો અન્યાય, અધર્મ, ન કરવાનું કામ કરો છો ઉભા રહો, ઉભા રહો જશો નહી, ક્યાં જાઓ છો ?

ભાઈ૦: અરે પારશનાથ, વળી આ કોણ આવે છે ?

ઝાંપડો: અરે દુષ્ટ તમારૂં મોત ભુંડે હાલે હું કરાવીશ, તમે જે કામનો વિચાર કરો છો, એવું પરમેશ્વર પણ આજ સુધી કરી શક્યો નથી તો તમોથી શું થશે, એ ઇંન્દ્ર નહીં સાંખે અને કોઈ માણસ પણ નહીં સાંખે તમારૂં જરૂર મોત આવ્યું છે.

રાજા: એ તો બધુંય ઠીક છે, પણ તું કોણ છું જે ઉતાવળો ઉતાવળો બોલે છે, પણ પાસે લુગડું તો પેરવા નથી જણાતું.

ભાઈ૦: અરે ઝાંપડો હશે.

રાજા: એને પકડી લ્યો.

ઝાંપડો: પકડી શું લેશો, તમે મને ઓળખો છો ?

રાજા: તું કોઈ નીચ વરણ છું નહીં તો અમારા સામો બકવા કરત નહીં.

ઝાંપડો: બોલુ નહીં કેમ ? તમે મને દુનિયાં ત્યાગ કાઢવા ને મંડ્યા છો ને.

રાજા: ત્યારે તારે સારૂ નરકમાં જગા છે કે નહીં. તું બોલ તો ખરો તું છે કોણ ?

ઝાંપડો: હું એવો છું કે જે મને જગતમાંથી કાઢવા ચહાય તેને શિક્ષા કરૂં.

ભાઈ૦: અરે એ તો એ જ હશે તો જે તુરંગમાં ફાંશી દેવાનું કામ કરે છે.