પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.


વ્યાસ આધિ વ્યાધિ તુલસી માધવાદિક,
શિવ કપાલી વિદ્યા વિશ્વ નિંદે;
જગ જનની જાનકી દુ:ખ દુસ્તર સહ્યું,
પાપ વણ તાપ જેને જગ્ત વંદે. મહા૦

સંચિત ક્રિયમાણ પ્રારબ્ધ જેને નથી,
તેને ત્રય તાપ આવી નડે છે;
અકલ ગતિ ઇશ હેતુ ન સમજ્યું પડે,
પ્રબલ ઇચ્છા સરવ તે પડે છે. મહા૦

છે કથન માત્ર એ પાપ ને પુણ્ય બે,
નચવ્યું નંદકુંવરનું જગ્ત નાચે;
દયા પ્રિતમ રૂચિ વિના પત્ર હાલે નહિં,
પણ ન ભાગે ભ્રમણ મન્ન કાચે. મહા૦

(આ લખાણનો વિશેષ ભાગ મ. ગાંધીજ તરફથી લખાવાનો હતો. પણ યુરોપી વિગ્રહને લીધે તેમને જરૂરી અવકાશ મળ્યો નથી - અ. ઇ. ઓ. )


સમાપ્ત