પૃષ્ઠ:Meerabai Lekhan.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કાનુડો કાળજાની કોર છે

કાનુડો કાળજાની કોર છે.
મોરમુકુટ પીતાંબર સોહે, કુંડલકી ઝકઝોર છે.
વૃન્દાવનની કુંજગલનમાં, નાચત નંદકિશોર છે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરનકમલ ચિતચોર છે.