પૃષ્ઠ:Meerabai Lekhan.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઉપાડી ગાંસડી વેઠની રે


ઉપાડી ગાંસડી વેઠની રે,
કેમ નાખી દેવાય?

એ છે રણછોડરાય શેઠની રે
એ છે શામલશા શેઠની રે.
કેમ નાખી દેવાય?

ઊની ઊની રેતીમાં પગ તપે છે,
લૂ વાય છે માસ જેઠની રે,
કેમ નાખી દેવાય?

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
લ્હે લાગી છે મને ઠેઠની રે,
કેમ નાખી દેવાય?