પૃષ્ઠ:Meerabai Lekhan.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હું તો ગિરિધરને મન ભાવી


રાણાજી, હું તો ગિરિધરને મન ભાવી.
પૂર્વ જન્મની હું વ્રજતણી ગોપી,
ચૂક થતાં અહીં આવી રે ... રાણાજી હું.
જન્મ લીધો નૃપ જયમલ ઘેરે,
તમ સંગે પરણાવી રે ... રાણાજી હું.
ગિરિધર નામ હું તો ઘડી નવ છોડું,
ઝેર દઈ નાખે મરાવી રે ... રાણાજી હું.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર !
હરિસંગે લગની લગાવી રે ... રાણાજી હું.