આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સમશેરબહાદુરે આ બધી હકીકત વિષે બીજે દહાડે સાંભળ્યું અને મૂરખરાજની પાસે બીજી સવારે ગયો. તેણે પૂછ્યું : "તને સિપાઈઓ ક્યાંથી મળ્યા અને તેને તું ક્યાં લઈ ગયો. એ તું મને કહે."
મૂરખરાજ બોલ્યો : " તેની તારે શી પરવા?"
સમશેર બોલ્યો : " મારે શી પરવા ? સિપાઈઓ આપણી પાસે હોય તો આપણે ગમે તે કરી શકીએ. આપણે રાજ્ય સુદ્ધાં મેળવી શકીએ."