પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



‘આજે તમે હિંદની રાષ્ટ્રીય ઈજ્જતના રખેવાળ છો . હિંદની આશાઓ અને અભિલાષાઓના તમે પ્રતિક છો. એટલે તમે એવી રીતે વર્તજો કે તમારા દેશબાંધવો તમારા પર આશીર્વાદ વરસાવે અને ભાવિ તમારા માટે ગૌરવવન્તુ નિવડે.

હિંદને આઝાદ થયેલું જોવાને આપણામાંથી કોણ જીવતું રહેશે, એ વાત મહત્ત્વની નથી, હિંદને આઝાદ કરવા માટે આપણે આપણું સર્વસ્વ સમર્પણ કરીશું. પ્રભુ ! આપણી સેના પર આપના આશીર્વાદ ઉતારો અને આવતી લડાઈમાં આપણને વિજય અપાવો’