પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
નેતાજીના સાથીદારો
 

થયા. અમે સખ્ત પરિશ્રમ ઉઠાવ્યો, ત્યારે અને અત્યારે પણ હું જે બરદાસ કરી રહ્યો છું, તે માનપૂર્વક બરદાસ કરું છું, કારણ એ બધું મારા પ્રિય ધ્યેયને ખાતર છે. જેને ખાતર હું ઝૂઝ્યો હતો.’

તેમનો જુવાન ભાઈ જાપાનમાં તેમની સાથે હતો તે, જગતમાંથી સદાને માટે ચાલ્યો ગયો છે. જાપાનમાં વેપાર ધંધાની જમાવટ કરીને વર્ષો સુધી જે ધન પેદા કર્યું હતું તે ધન જપ્ત કરવામાં આવ્યું છે અને કારાવાસમાંથી મુક્ત થઈને, હિંદ આવેલા આ મરજીવાને આજે, મિત્રોની મદદ પર નિર્ભર રહેવું પડે છે.