આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
૪૫
પારકાં કેમ દીધાં?
હરિ ! નેહને નેણલે ઝૂલાવી
ને દેવનાં દાન દીધાં ;
પછી ભવને ભૂલામણે ભૂલાવી
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! ચન્દ્રમા શા રમકડે રમાડી,
ને દેવનાં દાન દીધાં ;
પછી આત્માની જ્યોતને બૂઝાવી
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! પાંગરાવી આભને ય ભેદી,
ને દેવનાં દાન દીધાં ;
પછી આનન્દવેલડી ઉચ્છેદી
કે પારકાં કેમ કીધાં ?
હરિ ! અમૃતના ઓઘ ન્હોતા છેટા,
ને દેવનાં દાન દીધાં ;
પછી ખારે ખારે સાગરે ઉશેટ્યાં
કે પારકાં કેમ કીધાં ?