લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૨૧૯
 

મને તારી વાતમાં તથ્ય પણ લાગે છે.’

‘એટલે તમને દુર્યોધનનો ભય હતો ?’ વિકર્ણે સાશ્ચર્ય પ્રશ્ન કર્યો.

‘ના, દુર્યોધનનો મને શો ભય હોય ? તું જેવી કલ્પના કરે છે તેવી કલ્પના બીજા પણ કરતાં હશે ને ? તેને વિષે વિચારું છું ત્યારે મને પણ એમ થાય છે કે વિકર્ણ જે કરી શક્યો તે હું ન કરી શક્યો. કેવી કમનસીબી છે?’

‘તમે શાંત કેમ રહ્યા ? મને એ સમજાતું નથી કે કુરુવંશના ધ્રુવતારક જેવા પિતામહ દ્રૌપદીના વસ્ત્રાહરણ જેવાં નિર્લજ્જ દૃશ્યો શાંતિથી જોઈ કેમ રહ્યા ?’ તેમનું ક્ષાત્રતેજ ઝંખવાયું કેમ ?

‘વાત સાચી છે, વિકર્ણ !’ વ્યથાભરી વાણીમાં પિતામહ બોલતા હતા, ‘મને તો આ બધી જ ઘટના વિનાશના સંકેત સમી ભાસે છે. કદાચ તેનો સંકેત મારા મૌનમાં હોય તો કોણ જાણે ?’

પિતામહના દિલની વ્યથા ખૂબ વધી ગઈ હતી. તેમણે વિકર્ણને કહ્યું, ‘જ્યારે જ્યારે જરૂર જણાઈ છે ત્યારે ત્યારે હું તારા બાપા અને ભાઈને ચેતવું પણ છું. પાંડવોને અર્ધું રાજ્ય આપવાની ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી. દુર્યોધન હસ્તિનાપુરનો મહારાજા રહે ને પાંડવોને માટે તે તેમના જીવનનિર્વાહ માટે વ્યવસ્થા કરે તેવી. વાતો તેઓ કરતા હતા ત્યારે મારો રોષ વધી પડ્યો. મેં તરત જ કહ્યું, “ધૃતરાષ્ટ્ર, હસ્તિનાપુરનો રાજા તું નથી, પાંડુ છે. તે તેના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર યુવરાજ છે એ હકીકત મારે જાહેર કરવી પડે તેવી સ્થિતિ જો તમે પેદા કરવા ઈચ્છતા હો તો મારે ન્યાય ખાતર કાલે જ એવી જાહેરાત કરવી પડશે. પછી તમે ને તમારા પુત્રો બધા પાંડવોના આશ્રિત બની જશો. સમજો છો ખરા ને?” ‘મારી આ વાત ધૃતરાષ્ટ્રને ગળે ઊતરી હશે એટલે બીજા દિવસે તેણે પાંડવોને અર્ધું રાજ્ય આપવાની તૈયારી બતાવી.’

‘પણ દુર્યોધને તે છીનવી લીધું ને?’ વિકર્ણે પ્રશ્ન કર્યો ને