પૃષ્ઠ:Premanand Swami Lekhan.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ગુરુ પરમેશ્વર રે

ગુરુ પરમેશ્વર રે, જે સેવે સાચે મને;
ઓળખીને અરપે રે, મન કર્મ વચને તન ધનને.. ૧

કપટ ન રાખે રે, શુદ્ધ ભાવે મહિમા જાણે;
હરિ વિના બીજી રે, કે મનમાં ઇચ્છા નવ આણે.. ૨

વચન પ્રમાણે રે, વરતે તે હરિજન કા'વે;
ભવસાગરમાં રે, તે ફરવા પાછો નવ આવે.. ૩

મનના મનોરથ રે, સરવે તેના શ્રીહરિ પૂરે;
પ્રેમાનંદ કહે રે, તેને હરિ હજૂર રહે.. ૪