પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાકાણ્ડ

.


ભરતનું
આગમન
અને
કૈકેયીને ઠપકો

ભરત અને શત્રુઘ્ન થોડા દિવસમાં આયોધ્યા આવી પહોંચ્યા. શહેરમાં સર્વત્ર શોકદર્શક ચિહ્‌નો જોઈ એમને અનેક પ્રકારની અમંગળ શંકાઓ થવા લાગી, પણ સારથિ તરફથી કશી ચોક્કસ બાતમી મળી નહિ. ભરત સીધો કૈકેયીને મન્દિરે જઇ માતાને પગે પડ્યો અને પિતાના કુશળ સમાચાર પૂછ્યા. જાણે એક પારકા માણસને એના પિતાના મરણના સમાચાર સંભળાવી ધૈર્ય રાખવા દિલાસો આપતી હોય તેમ કૈકેયીએ દશરથના ખબર આપ્યા. સાથે સાથે રામ, લક્ષ્મણ અને સીતાના વનવાસની હકીકત પણ કહી, અને ભરતને રાજા તરીકે સંબોધન કરી અભિનન્દન આપવા લાગી. કૈકેયીની ધારણા કરતાં ભરત જુદા જ પ્રકારનો પુત્ર નીકળ્યો. કૈકેયીનું દુશ્ચરિત્ર સમજવામાં આવતાં જ એના સંતાપનો પાર ન રહ્યો. એણે કૈકેયીનો એના રાજ્યલોભ અને કઠોરતા માટે ખૂબ તિરસ્કાર કર્યો. રાજ્ય સ્વીકારવાની એણે ચોખ્ખી ના પાડી.

કૈકેયી પાસેથી એ લાગલો જ કૌસલ્યાને મળવા ગયો. કૈકેયીના અપરાધમાં એનો પણ હિસ્સો
૨૧