આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભવતારણ નૌકા ભક્તિ દારૂ, તુમ્બિ જ્ઞાનાદિક;
નાવે સકળ સહજે અભય, ત્યાં સ્વયમપિ શ્રમ સહબીહિક. ૬
જ્ઞાનાદિ તજી તન ઈન્દ્રિયો, કદી તરે એકલા આપ;
દુ:ખ દેઇને દૂર કરે, તેને ઇન્દ્રિયો દે શાપ. ૭
યોગિનું પણ મન માત્ર શુચિ, જો હોય દયાપ્રભુ ધ્યાન;
નખ શિખ લગી દુર્ગંધ તનુ, હરિ સેવાગણ શબ માન. ૮
પદ ૫૬ મું
તારે સગી સહુ હરિભગતજી, જે કો આશ્રિત હોય જનજગતજી;
દેહરસિક જે જીવને વળગાજી, હરિરસ વેળા ન કરે અળગાજી. ૧