પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સાસ બુરી અ૨ નણદ હઠીલી, લરિલરિ દે મોહિ ગારી, હે માય.
મીરાં કે’ પ્રભુ ગિરિધર નાગર, ચરનકમલકી વારી, છે માય.

(રાગ–સુખ સોરઠ)

પ્રભુજી થે કહાં ગયો નેહડી લગાય. ટેક
છાંડ ગયા વિસવાસ સંગાતી, પ્રેમ કી બાત બણાઈ.
બિરહ સમંદ મેં છાંડ ગયા છો, પ્રેમકી નાવ ચલાઈ.
મીરાં કહે પ્રભુ કબે મિલોગે, તુમ બિન રહા ન જાઈ

(પદ)

એ સહિયાં હરિ મન કાટો કિયો. ટેક
આવન કહે ગયે અજૂં ન આયો,
કરિ કરિ વચન ગયો.
ખાનપાન સુધ બુધ સબ બિસરી,
કૈસે કરિકે જિયો.
બચન તુમારે તુમહી બીસારે,
મન મેરે હર લિયો.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
તુમ બિન કૂટત હિયો.


મીરાંબાઈએ ગુજરાતી ભાષામાં પણ પદ રચ્યાં કહેવાય છે. મીરાંબાઈના નામથી પ્રચલિત પદો ગુજરાતમાં સારી પેઠે પરિચિત છે, એમાં તો બેએકનો અત્રે ઉલ્લેખ કરીશું.

બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા. ટેક
સાકર શેરડીને સ્વાદ તજીને,
કડાવો તે લીમડો ઘોળ મા રે, રાધા○
ચાંદા સૂરજનું તેજ તજીને,
આગિયા સંગાતે પ્રીત જોડ મા રે. રાધા○
હીરા રે માણેક ઝવેર તજીને,
કથીર સંગાતે મણિ તોળ મા રે રાધા○
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
શરીર આપ્યું સમતોલમાં છે. રાધા○